સોમવાર, 19 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ (ભાગ 3)



યોગ અને ધ્યાનનો અભ્યાસએ હિંદુ સભ્યતા અને સંસ્કૃતિ સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલ એક ભાગ છે. માણસની પોતાની જાગૃત અવસ્થા અને અદ્વૈત શક્તિ સાથેનો તાલમેલ વર્ષોથી આ માનવજાતને જોડેલો રાખવામાં યોગ વિદ્યા એક મહત્વનું પાસુ રહ્યું છે. યોગ એ શિવપૂજાના ફળ સ્વરૂપે આ જગતને પ્રાપ્ત થયેલ એક અતિ ઉત્તમ ભેટ છે. જે લોકોને જીવનના જુદા જુદા તબ્બકે અલગ અલગ સ્વરૂપે મળતી હોય છે. આ યોગાભ્યાસના પુરાવા તો Indus Valley civilization અને Mohenjadero- Harappa સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા એમાં પણ છે જ. મહાન ઋષિઓએ જ્યારે યોગિક મેડિટેશનના સહારે વેદોનો આવિર્ભાવ કર્યો ત્યારથી એનું અસ્તિત્વ ગણી શકાય. તો શરૂઆત geomatrix સપાટીથી જે એક ઇલિપિસોઇડ સ્વરૂપે હતી એમ માનવામાં આવે છે. યોગિક પરંપરામાં શિવલિંગના સ્વરૂપને જ સાચો ઇલિપસોઇડ માનવામાં આવે છે. હા, સર્જનનું પ્રથમ સ્વરૂપ એ જ ઇલિપસોઇડ અને આ પ્રગટ થયેલ અંત પહેલાનું આખરી સ્વરૂપ એ પણ શિવલિંગ. હાલના ખગોળ શાસ્ત્રીઓ તો માને છે કે બ્રહ્માંડની દરેક ગૅલેક્સીનો મધ્ય અંતરીયાળ ભાગ એ એક ઇલિપસોઇડ જ છે. ટુંકમાં એ એક શિવલિંગ સ્વરૂપ છે. યોગમાં કાયમ પ્રથમ અને અંતિમ રૂપ એ શિવલિંગ રૂપ જ હોય એમ મનાય છે. જો કોઇ વ્યક્તિ ચોક્ક્સ યોગિક સાધના ના ફળ સ્વરૂપે ધ્યાન ધરે તો એની શક્તિઓ શિવલિંગ સ્વરૂપે આકાર પામે છે. અને એટલે જ હિંદુ સભ્યતામાં શિવને અંતિમ સત્ય માનવામાં આવે છે. હા, શિવ એ જ અંતિમ સત્ય છે.
શિવલિંગ પર ચડાવાયેલું એટલે કે અભિષેક કરાયેલું પાણી પવિત્ર પાણી નથી કહેવાતું અને એને ઉપયોગમાં પણ નથી જ લેવાતું એનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે શિવલિંગ એ એક અણુંનું બનેલું ખુબ જ ઉંચા પ્રકારનું સ્વરૂપ છે. શિવલિંગમાંથી એક ચોક્ક્સ પ્રકારના રેડિયેશન એટલે કે કિરણોનો ઉદભવ થાતો હોય છે. અને આમ પણ શિવલિંગ મુખ્યત્વે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલું હોય છે. અને ગ્રેનાઇટએ રેડિયેશનનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. ગ્રેનાઇટ લાવા અને પીગળેલા પથ્થરના ઠરવાથી અનેક વર્ષોની પ્રકિયાના અંતે મળેલ પદાર્થ છે. જેમાં રેડિયોએક્ટિવ પદાર્થો જેવા કે રેડિયમ, યુરેનિયમ કે થોરિયમનું અમુક અંશે મિશ્રણ હોય જ છે. અને આ જ કારણે વર્ષો પહેલાથી આ દેશના મહાન ઋષિઓએ પોતાના શિષ્યોને શિવલિંગ પર અભિષેક કરાયેલ પાણી ઉપ્યોગમાં ન લેવાની પરંપરા શિખવી હતી. તો આ જ કારણને લીધે લગભગ મોટાભાગના શિવલિંગ કોઇ પાણીના સ્ત્રોતની આસપસ એટલે કે દરિયા કિનારે, તળાવ પાસે, નદી કિનારે કે કોઇ કુવા પાસે બનાવાયલ હતા. તમે દક્ષિણમાં પાંચ ઇશ્વરમ મંદિરને જોવો કે ઉતરમાં કૈલાશમાં આવેલ માનસરોવરને જુઓ આ જ વાત પ્રતિબિંબિત થાતી દેખાય છે. અને આવું જ રેડિયેશન મર્ક્યુરી અને સ્ફટીકમાં પણ કેટલાક અંશે દેખાય છે. જે બતાવે છે કે શિવલિંગ મુખ્યત્વે આ ત્રણના જ બનેલા હોય છે. અને જેમાં રેડિયોએક્ટિવ તત્વોની હાજરી જોવા મળે છે કે પોતે કોઇક પ્રકારે રેડિયોએક્ટિવ કિરણોનું ઉત્સર્જન કરે છે. આ ત્રણેય એક વધારાનો ગુણધર્મ ધારાવે છે જે Piexoelectricity તરીકે ઓળખાય છે. જે ગ્રેનાઇટમાં 20 % જેટલો ક્વાર્ટઝ હોવાથી એમાં એ ગુણ વધુ હોય છે. Piexoelectricity ધરાવતા પદાર્થને યાંત્રિક ઉર્જા અપીને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરીત કરી શકે છે. હા, એના પર તમે કોઇપણ બહારી ઉર્જાનો મારો કરો તો એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. અને એનાથી ઉલટું પણ બની શકે છે. એમાં જો તમે વિદ્યુત ઉર્જા પસાર કરો તો એના આકરમાં બદ્લાવ પણ થઇ શકે છે. જ્યારે પણ ક્વાર્ટઝ ક્રિસ્ટલને તોડવામાં કે જોડવામાં આવે ત્યારે જે બળ કે ઉર્જા વપરાય છે તેનાથી એક ચોક્ક્સ પ્રકારની વિદ્યુત ઉર્જા પેદા થાય છે. અને ચોક્ક્સ પ્રકારનું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે જ્યારે આપણે એની નજદીક હોઇએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પેદા થતા કેટલાક ઇલેક્ટ્રીકલ સિગ્નલ એ વિદ્યુતક્ષેત્ર સાથે ચોક્ક્સ તાદામ્ય પામે છે. આમ જ્યારે વ્યક્તિ નિત્યક્ર્મ મુજબ શિવલિંગની પૂજા કરે છે ત્યારે ચોક્ક્સ પ્રકારના ચુંબકિય કિરણોના સંપર્કમાં આવે છે અને એને પામે છે. જે ખુબ જ ધીમી પણ ચોક્ક્સ પ્રક્રિયા છે જે એના નિત્યક્રમથી વધે છે અને એ પોઝિટીવલી વધુ ચાર્જ થાય છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ પોઝિટીવ ઉર્જા જીવનમાં તંદુરસ્ત જીવન માટે ખુબ જ જરૂરી છે. તો વધુ શું વિચારવાનું જવાનું શિવાલયે દરરોજ અને પાણીનો અભિષેક કરીને ધન્ય થાવાનું.... !
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालम्ॐकारममलेश्वरम्॥१॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमाशंकरम्।
सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने॥२॥
वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमीतटे।
हिमालये तु केदारम् घुश्मेशं च शिवालये॥३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥४॥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો