સોમવાર, 12 ઑગસ્ટ, 2019

શિવ અને શિવલિંગ (ભાગ-2)



પશ્ચિમના કોઇ વ્યક્તિએ શિવલિંગ શબ્દમાં રહેલા લિંગ શબ્દને પુરૂષના શિશ્ન સાથે સરખાવ્યું અને પોતાના અજ્ઞાનનો પરિચય આપ્યો ત્યારે એ ખરેખર પોતાનું અજ્ઞાન જ પ્રગટ કરે છે એમાં કોઇ બે મત નથી કારણ કે ભારતિય પરંપરાની અધ્યાત્મને લગતી તમામ વાતો અને જ્ઞાન સતત રજુ થયા છે આ દેશની મહાનતમ ભષા સંસ્કૃતમાં ! અને એ જ સંસ્કૃત ભાષામાં લિંગનો અર્થ થાય છે પ્રતિક. આ અર્થમાં ભોલેનાથ શંભુનું પ્રતિક એટલે શિવલિંગ.
આ પ્રતિક માટે ભગવાન શિવે ખુદ વરદાન આપતા એમ કહ્યું છે કે કોઇના મૃત્યુ પછી જો એની રાખને શિવલિંગ નીચે રાખવામાં(દફનાવી દેવામાં) આવશે તો એ કાયમ માટે કૈલાસધામમાં સ્થાન પામશે.
ભારતિય પરંપરામાં જીવની અને જીવનની શરૂઆત હિરણ્યગર્ભને ગણવામાં આવે છે. જેને જીવનનું એક એવું સૂત્ર ગણવામાં આવે છે જ્યાં જીવન કોઇના પણ સહારા વગર(કોઇપણ અંગના ઉપયોગ વગર) ઉત્પન થાય છે. અને એ પોતાને એકમાંથી બે અને બેમાંથી ચાર અને ચારમાંથી આઠ એમ આગળ વધે છે. અને આને જ તો કોઇપણ જીવની પાયાની મુખ્ય સંસ્કૃતિ ગણી શકાય કે રીત ગણી શકાય. આ શું છે ? તો વિજ્ઞાન કહે છે આ જ તો DNA છે. જે જીનેટિક કોડ સંગ્રહીને બેઠા છે. અને જે વારંવાર અનેક વખત પોતાને ફરીફરીને ઉત્પન કરીને ચોક્ક્સ પેઢીઓને ઉત્પન કરી શકે છે. DNA ને 1953માં વૈજ્ઞાનિક દ્વારા રજુ કરાયા. આજે તો કોમ્પ્યુટરની મદદથી DNA ના 3D મોડેલને સમજવું સહેલું છે છતાં સામાન્ય માણસ માટે તો DNAના સ્ટ્રકચરને આજે પણ સમજવું અઘરું છે.... પરંતુ આજ થી વર્ષો પહેલા શું ? આજથી 2000 – 3000 કે 5000 વર્ષ પહેલા કેવી રીતે સમજાયું ? અને આપણા પૂર્વજોએ આ DNA ને કેવી રીતે વર્ણવ્યા ? હજારો વર્ષ પહેલા આપણા ઋષિઓ એ સ્ટ્રકચરને રજુ કરતાં કહ્યું કે હેલિક્ષ આકારમાં એકબીજા સાથે એક ચોક્ક્સ પ્રકારના બંધથી બંધાઇને સર્પાકારે આગળ વધતી એ DNAની રચનાને પોતાની યોગ શક્તિ દ્વારા જોઇ હતી અને વર્ણવી હતી અને કહ્યું હતું કે આની શરૂઆત સૌ પ્રથમ ભગવાન શિવથી થઇ હતી.
આનું દર્શન ઋષિ આવી રીતે કરે છે કે... સૌ પ્રથમ પ્રજાપતિએ એક મોટો પર્વાતાકાર (ઇલિપ્ટીકલ) ઢગલો બનાવ્યો... કારણ કે જેમ કુંભાર કોઇ વાસણ ઘડતા પહેલા માટીના લોંદાને એક ચોક્ક્સ આકાર આપતા પહેલા ચાક્ડા પર એક મોટો અને ઉંચો આકાર વગરનો એક પર્વત આકારનો ઢગલો(પિંડ) બનાવે છે અને એમાંથી પછી એક આકાર પ્રમાણેનો ઘાટ આપીને ઘડે છે એમ જ સૌ પ્રથમ એક ચોક્ક્સ મોટો ઢગલો પહેલા રજુ થયો જે હકિકતમાં એક ઇલિપ્ટીકલ આકારમાં હતો અને ઋષીઓએ જોયું કે આ આકારની આસપાસ સર્પ વિંટળાયેલા હતા. જે આકાર અને પ્રકાર DNA ને રજુ કરે છે. જે હકિકતમાં પ્રતિકૃતિ હતી શિવલિંગની ! હા, આમ શિવલિંગ એ DNA ને રજુકરતી પ્રતિકૃતિ છે. પણ ખરેખર તો એમ કહેવું જોઇએ કે DNAની પ્રતિકૃતિ શિવલિંગ પરથી જ ડિરાઇવ થઇ છે. હા, ફરીથી વિચારી જુઓ કે એક ઇલિપ્ટીકલ આકારની આસપાસ બે સર્પ વિરૂદ્ધ દિશામાં વિંટળાઇને આગળ તરફ જઇ રહ્યા છે બસ આ જ વિઝન એમણે ત્યારે ધ્યાનમાં જોયું અને વર્ણવ્યું. અને કહ્યું કે આ જ મુખ્ય પાયાનું બંધારણ છે અને એમાંથી જ આ અખિલ બ્રહ્માંડનો ઉદભવ થયો છે. હા, શિવલિંગમાંથી જ ! અને આજે DNA ને વર્ણવતા વિજ્ઞાન એમ જ કહે છે કે DNA એ એટલું સૂક્ષ્મ છે કે એને નરી આંખે જોઇ શકાતું જ નથી અને જે પોતે જ પોતાનામાંથી ઉત્પન થાય છે. ટુંકમાં વિજ્ઞાનની શોધ સતત ઋષિના દર્શન શાસ્ત્ર તરફની જ.... હજુ પણ વધુ જાણો... લો....
વિજ્ઞાન કહે છે એમ સીધી સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે અણુ- પરમાણુઓના બંધારણને કારણે આ વિશ્વના ઉદભવની ઘટના ઘટી. બે પરમાણુઓ ભેગા થઇને એક અણુ બનાવે છે અને કંઇક નવું પ્રાપ્ત થાય છે. નેલ્સ બોહરે આ આખું વિજ્ઞાન સમજાવ્યું જેમાં એ કહે છે કે દરેક પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે. દરેક પરમાણુના કેન્દ્રમાં ધન ભાર ધરાવતો પ્રોટોન છે અને સાથે ભાર રહિત ન્યુટ્રોન છે. ઋણ ભાર ધરાવતા ઇલેકટ્રોન આ ન્યુક્લિઅસની આસપાસ ભ્રમણ કરે છે. અને આ જ દૃષ્ટિએ જો શિવલિંગને જોવામાં આવે તો વિષ્ણુએ ધનભારીત પ્રોટોન છે તો બ્રહ્માએ ઋણ ભારીત ઇલેકટ્રોન છે અને શિવ જે ઇલિપ્ટીકલ સ્વરૂપે શિવલિંગ પર સ્થાપિત છે એ કોઇપણ ભાર રહિત તટસ્થ સ્વરૂપે રહેલ ન્યુટ્રોન છે.
વિષ્ણુના સ્વરૂપને જોઇએ તો જોઇ શકાય છે કે વિષ્ણુની નાભીમાંથી એક કમળ નીકળે છે અને એ કમળ પર બ્રહ્મા વિરાજમાન છે એ કમળ શક્તિને દર્શાવે છે જે એક આકર્ષણથી સતત જોડાયેલું છે. કમળની દંડી નમેલી છે જે એની ફ્લેક્સીબીલીટી બતાવે છે જેના થકી એ વિષ્ણુની આસપાસ ભ્રમણ કરી શકે છે. જે બન્નેના અલગ અલગ ભાર હોવાથી સતત આકર્ષિત રહે છે એમ બતાવે છે. તો બીજી બાજુ ભાર રહિત પ્રોટોન જેટલો જ ન્યુટ્રોન ન્યુક્લિઅસમાં એને જકડીને રાખે છે. જ્યારે ન્યુક્લિઅસમાં પ્રોટોન જેટલા જ ન્યુટ્રોન હોય છે ત્યારે એ અણુ સ્થિર બને છે. બસ આ જ રીતે ઋષિએ કહ્યું કે જ્યાં સુધી શિવને એટલે કે ન્યુટ્રોનને હેરાન નથી કરાતા કે જુદા નથી કરાતા ત્યાં સુધી એ શાંત છે. શિવ શાંત છે કારણ કે ત્યાં શક્તિ રેણુકાના સ્વરૂપે સ્થાઇ થયેલ છે. રેણુકા પોતાનામાંથી ઉત્પન કરે છે એક રેણુને કે એક અણુને. જે એક શક્તિ કે એક ઉર્જા છે. આમ ઋષિએ શક્તિને શિવની પત્ની સ્વરૂપે દર્શાવી જે શિવના જ ભાગ સ્વરૂપે શિવની આસપાસ નૃત્ય કરે છે જ્યારે ન્યુટ્રોન અસ્થિર થાય છે ત્યારે કુદરતી આપત્તિ સર્જાય છે. જે શક્તિ રૂદ્રાણીના કાલી સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. જે વિસર્જાનાત્કમ નૃત્યનો નિર્દેશ ગણાય છે. ન્યુટ્રોનના પ્રતાડનથી અનેક ગણી ઉર્જા પ્રાપ્ત કરી શકય છે એ વિજ્ઞાન સાબિત કરી ચુક્યુ જ છે.
આ છે ખરી શિવલિંગની પ્રતિકૃતિની સમજ અને એમાં જ છે સૃષ્ટિના સર્જન અને વિસર્જનનો ક્રમ. અણુ- પરમાણુની આ સંરચના જે શિવલિંગ માટે વર્ણવી એમાં શિવ ન્યુટ્રોન સ્વરૂપે છે અને જો ન્યુટ્રોન પર પ્રતાડન કરવામાં આવે તો કલ્પી ન શકાય એટલી ઉર્જાનો ધોધ વહે અને એટલે જ આ પ્રતાડનને રોકવા માટે શિવલિંગ પર સતત જલાભિષેક થતો હોય છે. લાગે છે ક્યાંક વિજ્ઞાન અને ધર્મ સાથે સાથે જાય છે. એવું જ છે ક્યાંક જોવાની દૃષ્ટિ જોઇએ તો ક્યાંક એને પામવાની મથામણ જોઇએ.
આમ શિવલિંગ એ માત્ર કોઇ પ્રતિક જ નથી. પણ એ તો એક સંદેશો આપે છે કે જે કુદરતના નાનામાં નાના અને અજાયબ કહી શકાય એવા અણુના સ્વરૂપને રજુ કરે છે.તો કોઇક રહસ્યમય વર્ણવી ન શકાય એવી શક્તિથી ભરપુર છે. આમ શિવલિંગ એ સૂક્ષ્મ અને વિશાળતાનું દર્શન આપતું ભગવાન શિવનું એક મહાનતમ પ્રતિક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો