ગુરુવાર, 7 માર્ચ, 2019

મૃગાંકભાઇ પરિચય


મેં અનેક વખત કહ્યું છે અને મારી મૃગાંકભાઇ પરની પોસ્ટમાં અનેક વખત લખ્યું છે કે મૃગાંક શાહ એટલે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલીટી.
મૃગાંક શાહ એટલે એક એવું વ્યક્તિત્વ છે કે જે વિચારોનો આઇડિયાનો એક ખજાનો છે નવા વિચારો સાથે ક્રિયેશનનો એક ધોધ છે. મિત્રતા નિભાવી જાણે એવા અજાતશત્રુ માણસ છે.
આજના માર્કેટમાં કેમ વિચારવું અને કેમ નવા આઇડિયા પેદા કરવા એના ક્લાસ ચાલતા નથી બાકી જો આવા કોઇ ક્લાસ ચાલતા હોય તો મૃગાંકભાઇથી સારી કોઇ ફેકલટી મળવી મુશ્કેલ છે.
મૃગાંકભાઇ એટલે એક એવું વ્યક્તિત્વ કે જે વિચારને પડદા પર બખૂબી સહેજ પણ માર્યા  મચોડ્યા વગર As it is રજુ કરી આપે. હા હું ફિલ્મના પડદાની જ વાત કરું છું. સુપરસ્ટાર અર્બન ગુજરાતી મુવીના સ્ક્રિપ્ટ રાઇટર પોતે છે તો એસોસિયેટીવ પ્રોડ્યુસર પણ છે જ. તો એ જ પિક્ચરમાં મૃગાંકભાઇ પોતે ડિરેકટરના રોલમાં એક રોલ પણ આદા કરે છે. તો વળી ગુજ્જુભાઇ ધ ગ્રેટ અર્બન ગુજરાતી મુવીના પોતે સ્ક્રિપ્ટ રાઇટર છે. એમનું એક ગુજરાતી નાટક પિકચર હજુ બાકી છે દોસ્ત 200 કરતાં વધુ શૉ કરી ચુકયુ છે.
વિચારનો આ માણસ ખરેખર મંચનો, અભિનયનો અને સાહિત્યનો એક અદભૂત સંગમ છે.
પણ   આ બધુ જ ક્યારે શક્ય બને જ્યારે માણસે વિશ્વ સાહિત્યક્ષેત્રે એક ઊંડું ખેડાણ કર્યુ હોય હા, એમના વાંચન વિશ્વમાં ઓશો કે જિદુક્રિષ્નમૂર્તિ, રોમા રોલાં, લીન યુટાંગ કે એલાન વોટ્સ  જેવા અનેક મહાન  ફિલોસોફરનો સમાવેશ છે તો હાલના ચર્ચિત લેખક યુવાલ નોવા હરારીના ત્રણે પુસ્તકો ક્યારના પચાવી ચુક્યા છે. એમની વાતોમાં અનેક વખતે એક અલગ જ ઉંચા પ્રકારની ફિલોસૉફી આવે ત્યારે સહજતથી બોલી જવાય કે વાહ મૃગાંકભાઇ.
હવે મને સારું છે અને અહીં અને અત્યારે જ... એવા ટાઇટલ સાથે  પોઝીટીવીટીથી ભરપુર બે પુસ્તક આપી ચુક્યા છે તો મનનાં ડ્રાઇફ્રુટ્સ એ નામનું એક પોકેટ પુસ્તક પણ  છે જે કદમાં તો નાનું છે પણ જાણે સેન્સ ઓફ હ્યુમરનો એક મોટો ખજાનો છે. એમના પત્ની અમીષા શાહ સાથે થેંક્યુ મમ્મી નામનું  ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે એવું  સંકલન કરેલ સુંદર પુસ્તક પણ આપી ચુક્યા છે. તો વજૂદ નામનો એમનો કાવ્ય સંગ્રહ અને હમણા હમણા જ  વર્ટીકલ્સ અને દસ્તક એવા  બે સ્તંભ કવિતાઓના પુસ્તક પણ  છે જ.
કવિતાને સ્તંભ સ્વરૂપે રજુ કરીને કવિતા વિશ્વમાં એક નવો જ ચિલો ચાતર્યો છે. જે ખુબ જ વંચાય છે અને નવી જનરેશન દ્વારા ખૂબ પોંખાય પણ છે.
મૃગાંકભાઇ  ગુજરાતી ભાષાના એક ઉમદા કવિ છે. એમના કાવ્ય વિશ્વને એક જ વાક્યમાં પોંખવું હોય તો કહી શકાય કે એમની કવિતાઓ વિષય વૈવિધ્યને પાર કરી ચુકી છે એમના કયા વિષય પર લાગણી નથી અનુભવી. એમની દરેક કવિતાનો પોતિકો લય છે તો દરેક કવિતાએ અલગ જ લય સાથે નોખો મિજાજ પ્રગટ કરી બતાવે એવા કવિ છે છંદશ હોય કે અછંદશ હોય પોતે એવી રીતે રજુ કરે કે બસ જાણે એમની જુબાનીના આપણે પણ એક કિરદાર કે સાક્ષી કે હકદાર બની જવાય. ક્યારેક તો આખે આખી કવિતા એવા પ્રશ્ન સ્વરૂપે આપે કે એમાં જણાતો લય અને ભાવ જાણે આપણો અવાજ બની બેસે એવી અનુભુતિ થાય.
કોઇ મોટી વાતને પંચ સાથે ટુંકમાં કેમ કહી દેવી કે કોઇ સામાન્ય લાગતી વાતના ગર્ભમાં રહેલો વિશાળ મર્મને  એવી રીતે રજુ કરી બતાવે કે જાણ્યા પછી એમ થાય કે વાહ આ મને કેમ ન સમજાયું જે હોય તે મૃગાંક શાહ એટલે સાહિત્યનો અને કલાનો એક નવો જ પ્રકાશપુંજ, તો એક એવું વ્યક્તિત્વ જેને બીજા કરતાં કંઇક વધારે વિચારવૈભવ પ્રાપ્ત થયો છે અને એક એવું વ્યક્તિત્વ કે જેને ખોબે ખોબે એ વિચારોને વહેંચવા પણ એટલા જ ગમે છે. ક્યાંક મને મૃગાંકભાઇ શાણપણ અને ભોળપણનું ભાગ્યે જ જોવા મળે તેવું અદભુત વ્યક્તિત્વ લાગ્યા છે.   તો કાયમ મૈત્રી રાખવી ગમે તેવો નિખાલસ મિત્ર અને કાયમ માટે મળવા અને માણવા ગમે એવા સચોટ ગુજરાતી લાગ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો