મંગળવાર, 28 મે, 2019

નરેન્દ્ર મોદી અને અમીત શાહનું ટીમ વર્ક જીતી ગયું....(23/05/2019)


નરેન્દ્ર મોદી અને અમીત શાહનું ટીમ વર્ક જીતી ગયું.... 

 2019ના ઇલેકશન રીઝલ્ટે સાબીત કરી આપ્યું છે કે ચિત્તે કી ચાલ, બાઝ કી નઝર ઔર અમીત શાહ કે કેન્ડિડેટ પર શક નહી કિયા કરતે.... અને મહેબુબા મુફ્તીએ સ્વિકારીયુ અને કહ્યુ એ જ મોટી વાત છે કે કાશ કોંગ્રેસ પાસે પણ એક અમીત શાહ હોત ! આ જીત પાછળ 26 મે 2014 થી જ લાગેલી મહેનત છે ભાઇ, એમ જ આ વિજય નથી મળી જાતો.
M M War બારામુલાનો BJP candidate જ્યારે એમ કહેતો હોય કે “My motivation for joining politics was to eradicate gun from Kashmir. This is my objective even now.” ત્યારે અમીત શાહ માટે ફરીથી એમ કહેવાનું મન થાય કે ચિતે કી ચાલ, બાઝ કી નઝર ઔર અમીત શાહ કે candidate પર 100 બાર સોચને પર મજબુર હોના પડતા હૈ.
437 સીટ પરથી લડી રહેલ ભાજપ 120 નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરવાની હિંમત રાખે એ પક્ષ જ જીતી શકે. તો 55 મહિલાઓને સ્થાન આપી શકે એ જ જીતી શકે. કોંગ્રેસ આજે પણ પોતાના જુના નેતાઓને છોડવા તૈયાર નથી... અરે બોલતા જ નહી.... ભજપમાંથી સુષ્મા સ્વ
રાજ, અરૂણ જેટલી ઉમાભારતી, શાહનવાઝ હુશૈન, અડવાણી કે સાંતા કુમાર (HP-CM) 2019ના ઇલેક્શન નથી જ લડયા. આજકાલ સુરજેવાલા જ્યારે બોલે છે ત્યારે એમની બોડી લેંગવેજ એમ જ કહેતી હોય છે કે માત્ર ને માત્ર વિરોધ સિવાય કંઇ જ ઠોસ નથી. આમના કરતા અંબિકા સોની બોલતા ત્યારે પ્રભાવ પડતો એવું સત્તત લાગે છે. ખરેખર એક સારો રીપ્રેઝેન્ટેટીવ પક્ષની એક અલગ જ ઓળખ હોય છે અને નવી પેઢીનું આકર્ષણ એ વાત જ ક્યાંક કોંગ્રેસમાં ભુલાઇ છે. આમ જ ચાલ્યું તો ચોક્ક્સ કહેવું જ પડશે કે હજુ પણ કોંગ્રેસ ટુટવાની.... અમીત શાહ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય ચોકિદાર ચોર હૈ નો નારો હોય કે રાફેલનો મુદ્દો હોય કે 15,00,00 નો મુદ્દો હોય, જે હોય એને જે હોય એ દરેક મુદ્દાને સહજતાથી પોઝિટીવ બનાવ્યો.... આવું કોંગ્રેસ ક્યારેય નથી કરી શકી. એ તો માત્ર ઉર્મિલા મતોર્ડેકરની વાતોને પણ પોઝિટીવ લઇને પ્રચાર ન કરી શક્યા અને લગભગ એ સીટ ખોશે જ. માત્ર ને માત્ર વિરોધ અને બુમો પાડીને જ વિરોધ એ જ કોંગ્રેસનું મુખ્ય પાસું રહ્યું. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હોય કે સાક્ષી મહારાજ હોય એને ક્યાંથી અને કોની સામે ઉભા રાખવા એ ગણિતમાં જે જીત હતી એ જ ગણિત મોટી જીતનું ગણિત છે.
પરબાનીની સીટ પર કોઇ રીપીટ નથી થયું તો પણ પોતાના એ જ કેન્ડિડેટની ઉપર ભરોશો મુકી શકે એ જ અમીત શાહ. તો વર્ધામાં પણ 2004 પછી દરેક પક્ષ બદલાયો છે તો પણ પોતાના કેન્ડિડેટ પર વિશ્વાસ મુકી શકે એ જ અમીત શાહ. સામેના પક્ષમાંથી આવેલા ઉમેદવારને યોગ્ય જગ્યાએથી સીટ આપી અને જીતાડ્યા એ જ મહત્વનું ગણિત. જ્યારે કોંગ્રેસ આ બાબતમાં પણ સંપુર્ણપણે ફેઇલ. લો જોઇ લો....
મદનગોપાલ મેઘવાન(બિકાનેર), માનવેન્દ્રસિંગ (જસવંતસિંહના દિકરા- બારમેર), અશોક દોહારે(ઇટવાહ), કૈશર જહાન(સિતપુર), કિર્તિ આઝાદ(ધનબાદ), વિણાદેવી(મંગુર), પપ્પુસિંગ(પુરનિયા) હોય કે શત્રુધ્નસિન્હા(પટનાસહિબ) ભાજપમાંથી ગયેલા બધા જ ખામોશ થઇ ગયા... વાંક એમનો નથી આમાં પણ કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે દિશાહિન કેમ્પેઇન અને મનોબળની સતત કમી.... જ્યારે ભાજ્પમાં પક્ષ પલટો કરીને આવેલા લગભગ જીતી રહ્યા છે જે બતાવે છે કે કેટલું ગ્રાઉન્ડ વર્ક કામ કરી ગયું....
પોતાની જ પાર્ટીનો મેમ્બર બીજી પાર્ટીમાં જઇને લડે તો હિસારની સીટ પર સીધા જ IAS બ્રિજેન્દ્રસિંગ ને ઉભા રાખી દિધા. જે એક રાજ્યસભાના મેમ્બર બિરેન્દ્રસિંગના જ દિકરા છે.
અશ્વિનીકુમાર ચોપરા પંજાબ કેશરીના એડિટર પોતાની constituencyમાં નથી દેખાયા અને એક બે controversial matterમાં પણ નામ આવ્યું તો પડતા મુક્યા અને સંજય ભાટિયાને કરનાલથી ટિકિટ આપી.
સિરસાની સીટ પરના ઉમેદવાર ચરણસિંગ રોરી જે 1,15,736 વૉટથી જીત્યા હતા એ અ વખતે INLD પક્ષ તરફથી લડી રહ્યા છે તો IPS ઓફિસરની પત્ની સુનિતા દુગ્ગલ પર પસંદગી કરાઇ. આવું જ કુરુક્ષેત્રમાં બન્યું.
રોહતકમાં કોંગ્રેસના MP આવતા એમને જ ટિકિટ આપી. આવું તો ઘણી બેઠકો પર બંગાળ અને બિહારના દરેક BJP candidate ની આવી જ કહાની મળી આવે તો એવું જ કંઇક કર્ણાટકમાં જોવા મળે. અનેક MP અને MLA જે પક્ષ પલ્ટો કરીને આવ્યા છે એમને પહેલા ઉભા રખાયા છે.
એ હરિસચંદ્ર મીના જેવા DGP માંથી politician બનેલ વ્યક્તિત્વને હટાવી પણ શકે અને એના સ્થાને MA Bed થયેલ જશકૌર મીના(દૌસા)ને લાવે તો સાથે સાથે નોન મેટરીક્યુલેટ રંજીતા કોલીને(ભરતપુર) ટીકીટ પણ આપી શકે. 2014 માં જશવંત સિંગની જગ્યાએ કોંગ્રેસમાંથી આવેલ સોના રામને લડાવે અને જીતે છતાંય કૈલાશ ચોધરી (MLA)ને લડાવે. હા, હું બાડમેર ની જ વાત કરું છું.
S P Baghel આગ્રાથી લડી રહ્યા છે અને સપામાંથી લોકસભા અને રાજ્યસભાના મેમ્બર છે.
અલ્હાબાદથી રીટા બહુગુણા જોષી ઉભા છે જેમની કાર્કિર્દી જોતા એમ કહેવાનું મન થાય કે હવે હવા બદલાઇ છે. .
Rita Bahuguna Joshi is daughter of Late H.N.Bahuguna, former Chief Minister of UP. Her mother, Late Kamla Bahuguna, was an ex-MP. She holds an MA and a PhD in History and is a professor in Medieval and Modern History at the University of Allahabad. She is also a recipient of a United Nations Award of Excellence as being among the "Most Distinguished Women in South Asia".[1] She authored two history books before joining the Indian National Congress.
2019માં SPનો ગઢ ગણાતા બદાયુની સીટ પર મુલાયમસિંઘના ભત્રીજા ધર્મેન્દ્ર યાદવની સામે લડવા માટે, મુલાયમ સિંઘ યાદવની સામે BSP ની ટિકિટ પર લડી ચુકેલ સંઘમિત્રા મૌર્યને ટિકિટ આપવી એ તો ખરેખર જોરદાર છે. જોઇ લો સંઘમિત્રા મૌર્ય સર્ચ કરીને !
રામશંકર કથેરિયાને આ વખતે આગ્રાથી ન લડાવાતા ઇટવાહથી લડાવાય છે કારણ કે સામે INC candidate ત્યાંનો જ 2014 નો BJP candidate છે જે ત્યારે 1.72 લાખ વૉટથી જીત્યો હતા.
ફતેહપુર સિક્રીની સીટ રાજબ્બરની સામે ત્રણ વખત હારનાર રાજ કુમાર ચહેર પર વિશ્વાસ મુકી શકે. આવી જ રીતે મૈનપુરીથી પ્રેમસિંગ શાક્ય પર વિશ્વાસ મુકી શકે.
કોલારની સીટ પર કોઇ સર્પ્રાઇઝ ઉમેદવાર પણ મુકી શકે અને કટકમાં એક Cop ને લાવીને ઉમેદવાર તરીકે મુકી શકે તો વળી બોલાંગીરના અપક્ષમાંથી ઉભેલ ઉમેદવારની શાળીને શોધીને સામે ઉભા રાખી શકે એ જ અમીતશાહની ચાલ વાહ....
ફુલપુરની સીટ ઉ.પ્ર.ના ડેપ્યુટી સી.એમ. કેશવ પ્રસાદ મૌર્યને ટિકિટ ન આપીને શ્રીમતી કેશરી પટેલને આપી શકે છે.
અશોક રાવત (BSPમાંથી) જે મિસરીખથી લડી રહ્યા છે
સાંભલની સીટ પરથી સત્યપાલસિંગને હટાવીને 3થી 4 દાવેદારોમાંથી પરમેશ્વરલાલ શૈનીની પસંદગી.
કોઇપણ જાતની ચિંતા વગર કેન્દ્રિયમંત્રીની ક્રિષ્ન રાજની ટિકિટ કાપી સહજાનપુરથી અરુણ સાગરને ઉભા કરી દેવા એ હિંમત કયા પક્ષમાં છે.
ક્યાં candidate repeat કરવા અને ક્યાં change કરવા એ ગણિત તો બાકી અમીત શાહનું જ.
એક ડૉનની પત્ની હેના સાહિબની સામે બીજો કોઇ એવો જ શોધી એની પત્નીને ઉભી રાખવી વાહ...
આર. કે. પટેલ (બંદા) જે BSPમાંથી આવ્યા. જે લગભગ જીતી રહ્યા છે.
આમ તો જ જોવા જઇએ તો લગભગ દરેક સીટ પાછળ છેલ્લા 2 વર્ષથી કરેલી મહેનત દેખાય છે. જે હોય તે ભાજપા ને અભિનંદન અને પુરેપુરી રીતે deserve કરતા જ હતા. બાકી જે હોય તે અમીત શાહ લાઇવ થઇ રહ્યા છે સાંભળવા તો પડશે...
કહ્યુ હતુ ને કે જે હોય તે આવશે તો મોદી જ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો