લેબલ પેશન પર છે ગોવિંદભાઇ....... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પેશન પર છે ગોવિંદભાઇ....... સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

પેશન પર છે ગોવિંદભાઇ.......



જાન્યુઆરી મહિનો એટલે વડોદરાવાસીઓ માટે ઉતરાયણની તૈયારીના દિવસો. અને બસ એવું જ કંઇક બન્યું. હું અને જયેશભાઇ દોરો લઇ આવ્યા. ગુજરાત સિરેમિકમાં આવ્યા અને અમારા સૉ રૂમના માણસ રાજુએ તરત જ કહી દિધુ કે જયેશભાઇ દોરો તો મહેતાપોળમાં જ સૂતાવાય. અમે ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ગયા હતા તો ના પાડી દિધી હતી. 5000 વાર સૂતવાના રૂ. 200 લે છે. શરૂમાં તો મને વાત સાચી લાગી નહી. કારણ કે જે ભાવમાં દોરાની રીલ મડે એ ભાવમાં કોઇ દોરો સૂતે. લગભગ અશક્ય વાત હતી.....
હું રાજુને લઇને સીધો જ મહેતાપોળમાં ઉપડી ગયો. દૂરથી જ દેખાય જાય એવડા મોટા બે સાઇન બોર્ડ મારેલા હતા. જય રણછોડ. નજીક ગયો અનેબીજુ સાઇન બોર્ડ વાંચીને જ હું દંગ રહી ગયો. તેના પર રીલ સૂતવાના રૂપિયા લખ્યા હતા. અને સૌથી ઉપર લખ્યું હતું 01/01/2010 થી અમલી. હું ગોવિંદભાઇને મળ્યો અને મારી ફોર્મલ પૂછ્તાછ શરૂ થઇ ગઇ. છેલ્લા 35 વર્ષથી સતત દોરો પિવડાવતા આ ગોવિંદભાઇને મેં પૂછ્યું આ જય રણછોડ એવું નામ રાખવા પાછ્ળનું મુખ્ય કારણ શું તેના જવાબમાં મને જાણવા મળ્યું કે દર પૂનમે તેઓ ડાકોર જાય છે. એકપણ પૂનમ છોડતા નથી.વડોદરામાં છેલ્લા 35 વર્ષથી તેઓ દોરો પિવડાવવાનું કામ કરે છે. અને લોકોની ઉતરાયણને સફળ બનાવે છે. વડોદરા ખાતે સૌથી વધુ રૂપિયા લેવાનું બિરૂદ ગોવિંદભાઇને ફાળે જાય છે. 5000 વાર દોરો સૂતવાના રૂપિયા 225 લોકો આ વર્ષે ચૂકવે છે. શરૂઆતમાં 4 આનામાં દોરો સૂતવાવાળા ગોવિંદભાઇ માટે આજે મને ગુજરાતી કહેવત બદલવાનું મન થઇ જાય છે. હા એ જ કહેવત કે "તારા કરતા વધારે દિવાળી જોઇ છે." અરે ના ..ના... "4 આના થી ચાલુ કરીને રૂપિયા 225 સૂધીની ઉતરાણો લોકોને ઉજવડાવી છે."(ગોવિંદભાઇ) 4 આના પછી 12 આના થયા પછી દોઢ રૂપિયા થયા પછી બે પછી અઢી થયા. 11 પણ થયા. અને આજે 1000 વારના રૂપિયા 50 છે. ડિસેમ્બર મહિનાથી વડોદરાવાસીઓની ઉતરાણ સુધારવાની તેમની મહેનત શરૂ થઇ જતી હોય છે. જો કોઇ વિધાર્થી સારા માર્કસ લાવે તો પછી તેને તેના શિક્ષકનું નામ પૂછાતુ હોય છે એમ સારા પેચ કાપ્યા પછી આજુબાજુ વાળા બુમ પાડીને પૂછતા હોય છે દોસ્ત દોરો ક્યાં સૂતાવ્યો. અરે વાહ આ વાતનો અંદાજ તો પછી જ આવ્યો કે જ્યારે ગોવિંદભાઇએ આંગળી કરીને મને બતાવતા કહ્યું કે મારી પાસે આવા 17 ચરખા છે અને દરેક ચરખા પર 15 રીલો ભરાય. દિવસમાં આવા 17 થી 24 ચરખા ભરાતા હોય છે. સતત આખો દિવસ ચરખા પર રિલો ભરવાની અને પછી એમના રાખેલા માણસો રીલો વિંટીં લે. કોઇ જ કંઇ વધારે કરી લેવાની જરાય ઇચ્છા નહી. કારણ કે બીજા બે ત્રણ વધારે માણસો રોકીને એમની આવકને 3-4 ગણી કરી શકાય. પરંતુ એક એક રીલ એમના હાથેથી જ ચરખા પર જાય. પ્રોફેસનાલીઝમ નહી જ. કારણ કે ડિસેમ્બરમાં દોરો સૂતાવવા માટે જાવ તો તમને બજારભાવ કરતા થોડા જ વધારે રૂપિયામાં કે લગભગ એ જ ભાવે દોરો મળી જાય. અને 13 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે તો દોરો સૂતવાનું બંધ કરી જ દે. જ્યારે દુનિયા કમાવવા પડી હોય ત્યારે ગોવિંદભાઇ ચરખા વિંટવાનું કામ શરૂ કરી દે. કારણ કે પછી દોરો પિવડાવીએ તો દોરો સૂકાય નહી અને ઉતરાયણ સારી જાય નહી. રોજ રાત્રે 9:30 કે 10:00 વાગ્યા સૂધી સતત કામ એ જ એમનું ધ્યેય. કદાચ આ માણસની ઉમર કરતા મને એમનો જુસ્સો વધારે જુનો લાગ્યો. થોડાક ગરાકો પાછા પણ જાય, ગુસ્સે પણ થાય પરંતુ આવતા વર્ષે થોડા વહેલા આવે અને જૂના ગરકો મોડા આવતા જાય. આ વાત સરળતાથી ગોવિંદભાઇએ મને કહી દિધી. બહારગામથી આવનારા લોકો માટે 200 જેટલા ચરખા તૈયાર પણ હોય. બોમ્બેના ગ્રાહકો પણ આવતા હોય છે એવું ગોવિંદભાઇનું કહેવું છે. અનેક લોકોની ઉતરાયણ સારી જાય અને પછી આભારના શબદો નીકળે એ જ જુસ્સો મેં કદાચ ગોવિંદભાઇના મોઢા પર સતત જોયા કર્યો છે.......